દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ ચરમસીમાએ : મંદિરને સુંદર રોશનીથી શણગારાયું

Janmashtami preparations in full swing in Dwarka: Temple decorated with beautiful lights

Janmashtami preparations in full swing in Dwarka: Temple decorated with beautiful lights

યાત્રાધામ દ્વારકાના(Dwarka) સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની 5250મી જન્મજયંતિની પરંપરાગત ઉજવણી જન્માષ્ટમીની 7મી સપ્ટેમ્બરને ગુરુવારે ઉજવણી કરવામાં આવશે. તૈયારીઓ ચરમસીમાએ છે. મંદિરના સંચાલકની યાદી મુજબ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા જગત મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે.

ભક્તો દર્શન કરી શકે તે માટે કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધી બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે દર્શનની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વૈષ્ણવ સાધકોને ઠાકોરજીના દર્શન સમયપત્રક મુજબ પધારવા વિનંતી કરવામાં આવી છે. 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે સવારે 6 કલાકે શ્રીજીની મંગળા આરતી થશે. સવારે 8 કલાકે મંગળા દર્શન, સવારે 8 કલાકે શ્રીજીના ખુલ્લા પડદા સ્નાન અને અભિષેક દર્શન, સવારે 10 કલાકે શ્રીજીનું સ્નાન, સવારે 10.30 કલાકે શ્રીજીને શ્રૃંગાર ભોગ. સવારે 11 કલાકે શ્રીજીની શૃંગાર આરતી, 11.15 કલાકે ગ્વાલ ભોગ, બપોરે 12 કલાકે રાજભોગ થશે. બપોરે 1 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન સાંજે 5.00 કલાકે, ઉત્થાપન ભોગ 5.30 થી 5.45 અને સંધ્યાભોગ 7.30 થી 7.45 કલાકે રહેશે. આ દરમિયાન મંદિરમાં દર્શન બંધ રહેશે.

સાંજની આરતી સાંજે 7.45 કલાકે થશે. શયન ભોગ 8, શયન આરતી 8.30 કલાકે, શયન અનોસર રાત્રે 9 કલાકે થશે. શ્રીજીની જન્મજયંતિ નિમિત્તે 7મી સપ્ટેમ્બરે મધ્યરાત્રિએ 12 કલાકે આરતી થશે. ત્યાર બાદ જન્મોત્સવના દર્શન બપોરે 2.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બીજે દિવસે પારણા થશે.

Please follow and like us: