સુરતમાં યોજાશે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર
દેશભરમાં પ્રખ્યાત એવા બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શશી આગામી સમયમાં સુરત આવશે. 26-27 મેના રોજ શહેરના નીલગીરી ગ્રાઉન્ડ પર બાગેશ્વર ધામના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. જેમાં ભક્તો બાગેશ્વરધામ અને પીઠાધીશ્વરના દર્શન કરી શકશે.
દરબારમાં લાખો ભક્તો ઉમટવાની સંભાવનાને પગલે બાગેશ્વર ધામ આયોજન સમિતિ દ્વારા મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ પ્રકારની વ્યવસ્થા માટે રવિવારે બાગેશ્વર ધામ આયોજન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ, સંદીપ દેસાઈ, મનપા શાસક પક્ષના નેતા અમિત રાજપૂત, મનપા ચેરમેન દિનેશ રાજપુરોહિત સહિત વિવિધ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો. બેઠકમાં તમામ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.