સુરતમાં કિન્નરોની અનોખી પહેલ: ગરમીથી રાહત મળે તે માટે અબોલ પશુઓ માટે કર્યું કુંડાઓનું વિતરણ

0

જો કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, બાળકનો જન્મ હોય, કે પછી નવું ઘર કે નવો વ્યવસાય શરૂ કર્યો હોય ત્યારે કિન્નરો આવે અને તાપા માંગે, પરંતુ હવે જો હવે તમારા ઘરનો દરવાજો કોઈ કિન્નર ખખડાવે તો તમને નવાઈ લાગશે કારણ કે તેઓ કંઈક માંગવા નહીં પણ કંઈક આપવા માટે નીકળ્યા છે. કારણ કે સુરતના એક કિન્નર સમુદાયે અબોલ અને મુંઘા પશુ પક્ષીઓ માટે એક અનોખી સેવા શરૂ કરી છે.

શુભ પ્રસંગો અને ખુશીઓના અવસર પર લોકોના ઘરે જઈ તાળીઓ પાળી શુભકામનાઓ આપવાની અને તેના થકીજ જીવન નિર્વાહ કરતા કિન્નર સમાજ સામાજિક કાર્યો પ્રત્યે પણ જાગૃત છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં કિન્નર દ્વારા શરૂ કરવામાં આવેલી અનોખી મુહિમ પરથી સુરતમાં જોવા મળ્યું છે. સેવા ભાવની ભાવના સાથે કિન્નરોનો સમૂહ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને લોકોના ઘરે ઘરે જઈ તેઓ પૈસા નથી માંગી રહ્યા પરંતુ લોકોને પક્ષીઓને પાણી પીવડાવવા માટે વિશેષ કુંડાઓનું વિતરણ કરી રહ્યા છે.અને માટી થી બનેલા કુંડાનું વિતરણ કરી કિન્નરો લોકોમા અબોલ પશુઓ માટે સેવા ભાવ જગાડવાનું કાર્ય કરી રહ્યા છે.

નવોદય ટ્રસ્ટ થકી વિધવા, બાળકો અને જીવ દયાને લગતા સામાજિક કાર્યો કરતા નુરી કુવર જણાવે છે કે હાલ ગરમી વધી રહી છે અને માણસો તો આ ગરમીમાં ઘરમાં રહી પંખો અને એસી ચલાવી ગરમીથી રાહત મેળવી લે છે. પરંતુ આ મૂંગા અને અબોલ પશુઓનું શું? જેથી અમે તેઓને પણ ગરમીથી રાહત મળે તે માટે માટીના કુંડા ઘરે ઘરે જઈ વિતરણ કરવાનું નક્કી કર્યું. અને લોકોને પણ વિનંતી કરી કે તેઓ આ માટીના કુંડામાં પાણી ભરી ટેરેસ અથવા તો ઘરની બહાર રાખે જેથી કરીને અબોલ પશુ પક્ષી તેમાંથી પાણી પી શકે,

માટીના કુંડાઓનું વિતરણ કરતા કિન્નરોનું માનવું છે કે અત્યાર સુધી તેઓએ લોકો પાસેથી લેતા આવ્યા છે. પરંતુ હવે સમાજને કંઈક આપી શકીએ તેવી ભાવના સાથે તેઓએ આ અનોખી પહેલ શરૂ કરી છે અને લોકોને પણ આ પ્રકારની સેવા કરવા માટેનો સંદેશો આપ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *