ભારતમાં કેન્સર જેવી બિમારીઓની આવશે સુનામી:જાણો કોણે કર્યો દાવો

0

ભારતને લઇને અમેરિકી ડોકટરે કરેલો દાવો સૌ માટે ચિંતા ઉપજાવે તેવોઃ ગ્લોબલાઇઝેશન – વૃધ્ધ થઇ રહેલી જનસંખ્યા – બદલતી જીવન શૈલીને કારણે બિમારીઓ મોટુ ફાડશે : જેને રોકવા મેડીકલ ટેકનીકને પ્રોત્સાહન જરૂરી

વિકાસની ઝડપ પકડી રહેલા ભારત વિશે એવો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી સરકારની સાથે-સાથે સામાન્ય લોકોને પણ ચિંતા થાય. અમેરિકન ઓન્કોલોજિસ્ટ ડો. જેમ અબ્રાહમ દાવો કરે છે કે આવનારા સમયમાં ભારતમાં કેન્સર જેવી ગંભીર બીમારીની સુનામી આવશે. ઓન્કોલોજીને જિન્ટ્સે તેની પાછળ કેટલાક મોટા કારણો આપ્યા છે જેમ કે વૈશ્વિકીકરણ, વધતી જતી અર્થવ્યવસ્થા, વૃદ્ધાવસ્થા અને જીવ નશૈલીમાં ફેરફાર.

 

ડો.અબ્રાહમ કહે છે કે જે રીતે ગંભીર બીમારીઓ ભારત તરફ આગળ વધી રહી છે, તેને રોકવા માટે મેડિકલ ટેક્નોલોપ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે.,આ સદીમાં કેન્સરની સંભાળને ફરીથી આકાર આપવાનો માટેના છ મહત્વપૂર્ણ વલણોની યાદી આપે છે. આ પૈકી, પ્રથમ ત્રણ વલણોમાં કેન્સર નિવારણ માટેની રસી, કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા ડિજિટલ ટેક્નોલોજીનો પ્રચાર અને લિક્વિડ બાયોપ્સી- નો સમાવેશ થાય છે.અન્ય ત્રણ વલણોમાં જીનોમિક પ્રોફાઇ-લિંગ, જનીન સંપાદન તકનીવિકાસ અને ઇમ્યુનોથેરાપી અને દષ્ટ – સેલ થેરાપીની આગામી પેઢીનો સમાવેશ થાય છે. ડો.અબ્રાહમે કહ્યું કે ભારત માટે સૌથી મોટો પડકાર લોકોને ટેક્નોલોજી સુલભ બનાવવાનો છે અને કેન્સર જેવી બીમારીઓથી બચવા માટે તેને પોષણક્ષમ બનાવવાનો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *