Surat: કામરેજ ટોલપ્લાઝાના પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

0

સુરતના કામરેજ ટોલપ્લાઝા પર ફરીવાર લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવાના મામલે હોબાળો મચ્યો હતો. ત્યારે આ મામલે રોષે ભરાયેલા લોકો મોટું સંખ્યા મા એકઠા થયા હતા.અને વિરોધ નોંધાયો હતો જેને પગલે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલા એ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો. તો બીજી તરફ બનાવને પગલે થોડા સમય માટે ટોલ પ્લાઝા બંધ થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરતના કામરેજ નજીક આવેલ ટોલ નાકા પર સ્થાનિક લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અનેવિરોધ કર્યો હતો.અહી ટોલ માંથી સ્થાનિકોને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ NHAI એ ૫ તારીખથી લોકલ વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવવાનું નક્કી કરી જી.જે.5 અને જી.જે.19 લોકલ વાહન ચાલકો પાસે 50 ટકા ટોલ ઉઘરાવવાનું નક્કી કરાયું હતું જેને લઇ આ વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકો એક સાથ થઈ જતા ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

કામરેજ તાલુકાનાં ચોર્યાસી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર આવેલા ટોલનાકા પર ટોલટેક્સ ઉઘરાવાનો કોન્ટ્રાકટ IRB કંપની પાસે હતો. જેનો 6 માસ પહેલા કોન્ટ્રાકટ રદ થતા હાલ આ ટોલનાકુ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે છે. જેથી NHAIહાલ ટોલ ઉઘરાવાની જવાબદારી ખાનગી કંપનીને આપી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના જી આર મુજબ કોઈપણ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી નથી પરંતુ આઇ આર દ્વારા gj 5 અને gj 19 પાર્સિંગ ના વાહનો માટે ટોલ માફી આપવામાં આવી હતી.પરંતુ હવે આઇ આર બી નો કોન્ટ્રાકટ પૂરો થતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સરકારના જી આર મુજબ ફરીથી આગામી 5 ફેબ્રુઆરીથી તમામ વાહન ચાલકો માટે ટોલ ઉઘરાવવાનું ફરજિયાત કર્યું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *