“ડ્રગ્સ સંઘવી” ટિપ્પણી મુદ્દે સુરત ક્રાઇમ બ્રાંચે આપ નેતા ગોપાલ ઇટાલિયાની કરી ઘરપકડ

0

સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. ચુંટણી સમયે ગોપાલ ઈટાલીયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લઈને ટીપ્પણી કરી હતી તે અનુસંધાને ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસમાં ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરવામાં આવી હતી જો કે સુરત ક્રાઈમ બ્રાંચ ખાતેથી જામીન પાત્ર ગુનો હોય ગોપાલ ઈટાલીયાને જામીન પણ મળી ગયા છે. મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે ખોટી રીતે માનસિક ત્રાસ આપવા, મનોબળ તોડી પાડવા, ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી આખી ખત્મ થઇ જાય એવા બદ ઈરાદાથી આવી બધી કાર્યવાહી કરવામાં આવે છે,

ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે આજરોજ એક જૂની એફઆરઆઈ બાબતે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા મને પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યાર પછી પૂછપરછ દરમ્યાન પોલીસે મારી કાયદેસરની ધરપકડ કરી હતી, ક્રાઈમ બ્રાંચનું એવું કહેવું છે કે ભાજપના કોઈ વ્યક્તિએ મારા વિરુદ્ધમાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની મારા કોઈ ઉચ્ચારણ બાબતે લાગણી દુબાઈ ગયી છે. એમનું એવું કહેવું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિષે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિષે કેટલાક શબ્દો વાપર્યા છે. જે બાબતની ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ છે. એવું ભાજપના કાર્યકર્તા માને છે, એમણે એવી ફરિયાદ આપીં છે અને તે અનુસંધાને પોલીસે મારી ધરપકડ કરી છે, કેમ કે જામીન પાત્ર ગુનો છે, જેથી મને ક્રાઈમ બ્રાંચથી જામીન આપવામાં આવ્યા છે

ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે આમ જોવા જઈએ તો કાયદાકીય દ્રષ્ટિએ આ વાતમાં કાઈ છે પરંતુ ખોટી રીતે માનસિક ત્રાસ આપવા, મનોબળ તોડી પાડવા, ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી આખી ખત્મ થઇ જાય એવા બદ ઈરાદાથી આવી બધી કાર્યવાહી કરવામાં આવે છે, નેશનલી જોઈએ તો અરવિંદ કેજરીવાલને પણ સીબીઆઈ દ્વારા ખોટી રીતે સમન્સ કરવામાં આવે છે, અહિયાં અમને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ૪૦ લાખ મત લાવી ૫ ધારાસભ્યો સાથે ગુજરાતમાં ત્રીજા નબરની મજબુત પાર્ટી તરીકે ઉભરી આવી છે, ત્યારથી તમામ ભાજપવાળાના પેટમાં પાણી રેડાયું છે, અને યેનકેન પ્રકારે અમારું મનોબળ તોડી નાખવા, અમારી પાર્ટી તોડી નાખવાના પ્રયત્નો કરે છે. પરંતુ અમે અરવિંદ કેજરીવાલના ઈમાનદાર સૈનિકો છીએ, આવા બધા નિમ્નક્ક્ષાના પ્રયત્નોથી અમે ડરવાના નથી, અમારી લડાઈ ચાલુ રહેશે, આ લડાઈ સડક પર લડવાની હોય, કોર્ટ કચેરીમાં લડવાની હોય, કે સંસદ, વિધાનસભામાં લડવાની હોય અમે લડતા રહીશું અને ગુજરાતની જનતાનો અવાજ બનતા રહીશું

ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યારથી ગુજરાત જેવા રાજ્યોની અંદર કે જ્યાં માનનીય પ્રધાનમંત્રી અને માનનીય ગૃહ મંત્રી ગુજરાત રાજ્યના છે ત્યાં આમ આદમી પાર્ટીએ આવીને પોતાની શક્તિ બતાવી દીધી, ૪૦ લાખ મતો લઇ લીધા, ૫ ધારાસભ્ય બનાવી દીધા ત્યારથી આખા ભાજપના આખા દેશભરના લોકો છે તે હતપ્રભ થઇ ગયા છે, ડરી ગયા છે, કે આવનારા દિવસોમાં ભાજપને જો કોઈ ટક્કર આપશે તો આમ આદમી પાર્ટી આપશે એટલે યેનકેન પ્રકારે આમ આદમી પાર્ટીનો જે સંદેશ છે તે સંદેશ લોકો સુધી ન પહોચે તે માટે પાર્ટી તોડી પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે પણ અમે લડતા રહીશું અને જીતીને બતાવીશું

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *