વલસાડમાં પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ, 2ના મોત, 2ઘાયલ
![](https://imaginesurat.com/wp-content/uploads/2023/02/add_a_subheading_3-sixteen_nine-1-1024x576.jpg)
ગુજરાતના વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે વિસ્ફોટ થયો હતો. હાલમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. વલસાડના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. તેમણે કહ્યું કે બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી.
સરીગામ જીઆઈડીસી ખાતે રાત્રે 11 વાગ્યે એક કંપનીમાં બ્લાસ્ટ થતાં 2નાં મોત અને 2 ઘાયલ. બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. બચાવ કામગીરી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે, જે સવારે ફરી શરૂ કરવામાં આવશે. મૃતદેહોની ઓળખ થવાની બાકી છે.