Turkiye Earthquake News:તુર્કીમાં સોમવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા,ઘણી ઇમારતો ધરાશાયી થઈ

0

Turkiye Earthquake News:  સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી 

તુર્કીમાં સોમવારે (20 ફેબ્રુઆરી) ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે તુર્કી-સીરિયા સરહદી ક્ષેત્રમાં બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઈએ 6.4-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નવા ભૂકંપના કારણે દક્ષિણ તુર્કીમાં વધુ તબાહી સર્જાવાની આશંકા છે. જો કે, ભૂકંપના થોડા કલાકો બાદ સમાચાર આવ્યા કે ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 213 લોકો ઘાયલ થયા છે. લટાકિયામાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. આ દરમિયાન લોકો હોટલની બહાર આવી ગયા હતા. બીજી તરફ સીરિયામાં પણ ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. એપીના અહેવાલ મુજબ સીરિયામાં 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મધ્ય અંતાક્યામાં ભૂકંપ બાદ વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ભૂકંપના કારણે બિલ્ડિંગમાંથી બહાર નીકળેલા કેટલાક લોકો પણ કાટમાળ નીચે દટાયા છે. અંતાક્યામાં બે અઠવાડિયા પહેલા ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા અને ઘણી ઇમારતો નાશ પામી હતી. રોઇટર્સના સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ તુર્કીની બચાવ ટુકડીઓ વિસ્તાર તરફ જતી જોવા મળી હતી.

6 ફેબ્રુઆરીએ વિનાશક ભૂકંપ આવ્યો હતો

. 6 ફેબ્રુઆરીએ તુર્કીના દક્ષિણપૂર્વ અને પડોશી સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 45,000થી વધુ લોકોના મોત થયા હતા અને 10 લાખથી વધુ લોકો બેઘર બન્યા હતા. આ પછી તુર્કીમાં ઘણા આફ્ટર શોક્સ પણ આવ્યા.

પીએમએ બચાવ ટીમના વખાણ કર્યા

પીએમ મોદીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે તૈનાત કરવામાં આવેલી સહાય અને આપત્તિ રાહત ટીમોના કાર્યની પ્રશંસા કરી હતી. તુર્કી અને સીરિયામાં ‘ઓપરેશન દોસ્ત’માં સામેલ સૈનિકો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે માત્ર આત્મનિર્ભર જ નહીં પરંતુ નિઃસ્વાર્થ દેશ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *