રાજ્ય સરકારની નવી નીતિ : શહેરોના તમામ બ્રીજોની મજબૂતાઈ માટે વર્ષમાં બે વાર કરવાનું રહેશે નિરીક્ષણ
હાઇકોર્ટ (High Court)સમક્ષ એફિડેવિટ રજૂ કરતાં ગુજરાત(Gujarat) સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષમાં બે વખત પુલોનું નિરીક્ષણ અને જાળવણી કરવાની નીતિ બનાવી છે. આ નીતિ રાજ્યની તમામ નગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં લાગુ થશે.રાજ્ય સરકાર વતી શહેરી વિકાસ અને શહેરી બાંધકામ વિભાગના નાયબ સચિવ મનીષ શાહે દાખલ કરેલા સોગંદનામામાં જણાવાયું છે કે રાજ્ય સરકાર આ અંગે 6 માર્ચ, 2023 ના રોજ આદેશ જારી કર્યો છે.
જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા તમામ નાના-મોટા પુલો માટે વિગતવાર સમાન નીતિ બનાવવામાં આવી છે. આ તપાસ દર વર્ષે ચોમાસા પહેલા મે મહિનામાં અને ચોમાસા પછી ઓક્ટોબર મહિનામાં કરવાની હોય છે. આ દરમિયાન, કોઈપણ પ્રકારના રિપેર કાર્યની સંપૂર્ણ વિગતો એક રજિસ્ટરમાં નોંધવામાં આવશે.
આ પુલોના નિરીક્ષણની કામગીરી માટે સંબંધિત મહાનગરપાલિકા અને પાલિકાના ઈજનેરી વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને જવાબદાર બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત સલામત રીતે કામ, પાણીને લગતી કામગીરી, પુલના પાયાની જાળવણી, સબ-સ્ટ્રક્ચર, સુપર સ્ટ્રક્ચર, લાકડાના પુલના કિસ્સામાં તેના માળખાની મજબૂતાઈ, વિસ્તરણ સાંધા, પેવમેન્ટ અને અન્ય ઘણા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. નિરીક્ષણનું કામ જશે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એન્જિનિયરિંગ વિભાગને સમારકામના નિરીક્ષણ અને સમીક્ષા માટે સંપૂર્ણપણે જવાબદાર ગણવામાં આવશે.
નિરીક્ષણ અને સમારકામ બાદ પુલ કે ગટર વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવી છે, તેની વિગતો પણ રજીસ્ટરમાં રાખવાની રહેશે. નિયમ મુજબ સમયાંતરે પુલોનું નિરીક્ષણ કરવાનું રહેશે. આ સોગંદનામું ગુજરાત સરકારે હાઈકોર્ટની સૂચના પર રજૂ કર્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને બ્રિજની જાળવણી નીતિ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ સોગંદનામું મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટે લીધેલી સંજ્ઞાન અરજી પર સુનાવણી દરમિયાન રજૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ આ કેસના આરોપી જયસુખ પટેલ વતી જણાવાયું છે કે, આરોપી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે, જેથી પીડિતોને હજુ સુધી વળતર આપવામાં આવ્યું નથી. 22 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે પીડિતોને ચાર અઠવાડિયામાં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.