National : આંખ સારી કરવા ભગવાન પાસે માંગેલી માનતા પુરી ન થતા ઇન્દોરમાં યુવકે કરી બે મંદિરમાં તોડફોડ

0
A young man vandalized two temples in Indore, believing that his request to God to heal his eyes was not fulfilled

Indore man arrested (File Image )

ઈન્દોરમાં (Indore )બે મંદિરોમાં તોડફોડ કરવાના આરોપમાં પોલીસે (Police )24 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ આરોપીને ટાંકીને પ્રારંભિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે બાળપણમાં અકસ્માતમાં નુકસાન પામેલી તેની આંખ ઠીક થઈ જાય અને આ પ્રાર્થના પૂરી ન થતાં તે નારાજ હતો.

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રશાંત ચૌબેએ શુક્રવારે પીટીઆઈને જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રે ચંદન નગર અને છત્રીપુરામાં બે મંદિરોમાં તોડફોડ કરવા બદલ શુભમ કૈથવાસ (24)ની ધરપકડ કરવામાં આવી છે.

તેણે જણાવ્યું કે પોલીસની પ્રારંભિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે બાળપણમાં કાચમાં અકસ્માતે ઘૂસી જવાથી તેની એક આંખને નુકસાન થયું હતું અને તેણે આ આંખને સાજી કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

ચૌબેએ કહ્યું, “પૂછપરછ દરમિયાન, કૈથવાસે અમને કહ્યું કે તે પરેશાન હતો કારણ કે તેની પ્રાર્થના પૂરી ન થઈ રહી હતી. જો કે મંદિરોમાં તોડફોડની સંવેદનશીલ બાબતમાં અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી “માનસિક રીતે અસ્થિર” હોવાનું જણાય છે. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું કે કૈથવાસના પિતાની હાર્ડવેરની નાની દુકાન છે, પરંતુ આરોપી કોઈ કામ કરતો નથી અને અહીં-તહીં ફરતો રહે છે.

ચૌબેએ કહ્યું કે પોલીસે કૈથવાસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295-A (કોઈ પણ કલમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વકનું કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *