તેરા તુઝકો અર્પણ : 7.86 કરોડના હીરા પોલીસે મૂળ માલિકને પરત કર્યા

7.86 crore diamonds were returned by the police to the original owner
વરાછા (Varachha) અને મહિધરપુરા (Mahidharpura) હીરા બજારના વેપારીઓ પાસેથી રૂ. 7.86 કરોડના હીરાની (Diamond) છેતરપિંડી કરનાર દલાલને પોલીસે સોમવારે હીરાના મૂળ માલિકોને સોંપ્યા હતા. વરાછા મીની બજાર વિસ્તારમાં પોલીસ અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તેરા તુઝકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ માલિકોને તેમના હીરા સોંપવામાં આવ્યા હતા.
27 જાન્યુઆરી, 2023ના રોજ હીરાના વેપારીઓએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મહાવીર અગ્રાવત નામનો દલાલ અન્ય વેપારીઓને હીરા વેચવાના બહાને વરાછા અને મહિધરપુરા હીરા બજારના 32 વેપારીઓ પાસેથી રૂ. 7.86 કરોડના હીરા લઈને ફરાર થઈ ગયો હતો. તપાસમાં સામેલ પોલીસે આરોપી દલાલને સુરેન્દ્ર નગરમાંથી ઝડપી લીધો હતો અને તેની પાસેથી ચોરેલા હીરાના પેકેટો કબજે કર્યા હતા.
સોમવારે શહેર પોલીસ વિભાગ અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે તેરા તુઝકો અર્પણ શીર્ષક સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછામાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડાયમંડ એસોસિએશનના અધિકારીઓ અને પાંચસોથી વધુ હીરાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામની હાજરીમાં પોલીસે તેમના હીરા મૂળ માલિકોને પરત કર્યા હતા. વેપારીઓએ પણ પોલીસની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો.