Surat: 2025 સુધીમાં 600 ઇ-બસ દોડાવવા મનપાનો લક્ષ્યાંક

0

સુરતમા પર્યાવરણની જાળવણી તથા સરકારી ગ્રાન્ટનો લાભ મહત્તમ મળે તે માટે પાલિકા ૨૦૨૫૭૮ સુધીમાં સુરતના રસ્તા પર દોડતી બસમાંથી ૬૦૦ ઇ બસ દોડાવવા માટે આયોજન કરી રહી છે. આ ઉપરાંત ૨૦૨૩ સુધીમાં સુરતના રસ્તા પર સામુહિક પરિવહન માટે જે બસ દોડે છે તેમાંથી ૪૦થી ૬૦ ટકા ઇ બસ થઇ જાય તે માટે પાલિકા લક્ષ્યાંક રાખી રહી છે. આ માટે પાલિકા સરકારની વિવિધ યોજના હેઠળ ઇ બસ મેળવવા માટે કવાયત કરી રહી છે.

સુરતમાં લોકો વધુમાં વધુ સામુહિક પરિવહન સેવાનો ઉપયોગ કરે અને સામુહિક પરિવહન સેવા માં વધુમાં વધુ ઇ બસ દોડતી થાય તે માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહી છે. સુરના રસ્તા પર હાલ સીટી અને બીઆરટીએસ મળીને ૭૮૮ બસ દોડી રહી છે પાલિકાએ તબક્કાવાર આ બસ ને ઇ બસમા ફેરવવા માટે આયોજન કરી રહી છે. સુરત મ્યુનિ. તંત્રએ પહેલા 150 બસ નો ઓર્ડર કર્યો હતો તેમાંથી કોરોનાના કારણે બસ પુરતી આવી નથી પરંતુ સુરતના રસ્તા પર ઇ બસ દોડી રહી છે.

શહેરમાં હાલ દોડતી ૭૮૮ બસોમાંથી ૮૨ ઇલેક્ટ્રિક બસ છે : ૨૦૨૩ સુધીમાં ૬૦ ઇ-બસ દોડાવવા તૈયારી

સુરત મ્યુનિ.એ તબક્કાવા૨ ૪૫ ઇ બસ માટે ઓર્ડર કર્યા છે અને ત્યાર બાદ હાલમાં વધુ ૧૫૦ ઇ બસ નો ઓર્ડર કર્યા છે આમ ૭૮૮ બસમાંથી પાલિકા ૨૦૨૫ સુધીમાં ૬૦૦ ઇ બસ દોડતી કરી દેશે. જ્યારે પાલિકા ૨૦૨૩ સુધીમાં ૭૮૮ બસમાથી ૪૦થી ૬૦ ટકા ઇ બસ દોડે તેવું આયોજન કરી રહી છે. આ ઇ બસમાં પાલિકાને મોટો ફાયદો થવા જઇ રહ્યો છે કંપની પાસેથી પાલિકાએ ઇ બસ ૩૫ રૂપિયા પ્રતિ કિલોમીટર ના ભાવે મળે છે અને તેમાં સરકાર દ્વારા ૨૫ રૂપિયા પ્રતિ કિલોમીટર સબસીડી આપવામાં આવતી હોવાથી પાલિકા ઘણો ફાયદો થઇ રહ્યો છે. જેના કારણે પાલિકા તબક્કાવાર ૬૦૦ ઇ બસ દોડાવશે તેમાં પર્યાવરણની જાળવણી સાથે સાથે પાલિકાને આર્થિક ફાયદો પણ થશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *