પીએમ મોદી તા.29મીએ સુરત પધારશે,જાણો શું હશે કાર્યક્રમ

0
  • વડાપ્રધાન મોદી સુરત રૂ. ૩૧૦૦ કરોડના પ્રોજેકટોનું ખાતમૂર્હુત-
  • પીએમ નરેન્દ્રમોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૯/૦૯ ૨૦૨૨ના રોજ સુરત ખાતે સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. જેના આયોજનના ભાગરૂપે આજરોજ સર્કિટ હાઉસ ખાતે હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના વડપણ હેઠળ કાર્યક્રમના આયોજન અર્થે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનશ્રીનો મુખ્ય કાર્યક્રમ તા.૨૯મીએ સવારે ૯.૦૦વાગે લિંબાયત ખાતેના નિલગીરી મેદાન ખાતે યોજાશે.

 

વડાપ્રધાનશ્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અંદાજીત રૂ.૩૧૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન થશે.બંછાનિધિ પાની તથા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે મંડપ, પૉંકિંગ અને વ્યવસ્થા કમિટી સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, કંટ્રોલરૂમ જેવી ૧૬ જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ બલર, વિપુલભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવડીયા, ડે.મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તથા જિલ્લા વહીવટીતંત્રમહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *