પાકિસ્તાન ક્રિકેટ ભારતના પૈસાથી આગળ વધી રહ્યું છે : શોએબ અખ્તરના નિવેદનથી ભડકો

Pakistan cricket is moving ahead of India's money: Shoaib Akhtar's statement provoked

Pakistan cricket is moving ahead of India's money: Shoaib Akhtar's statement provoked

પાકિસ્તાનના (Pakistan)પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે તેણે હંમેશા પાકિસ્તાની ટીમના ભારત પ્રવાસનું સમર્થન કર્યું છે. હું પહેલા દિવસથી કહી રહ્યો છું કે પાકિસ્તાને ODI વર્લ્ડ કપ રમવા ભારત જવું જોઈએ કારણ કે આપણું ક્રિકેટ ભારતના પૈસાથી આગળ વધી રહ્યું છે.

શોએબે શુક્રવારે રેવસ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ક્યારેય ભારતનો પ્રવાસ ન કરે એવો કોઈ પ્રશ્ન જ નથી. આપણે સત્યનો સામનો કરવો પડશે. વિશ્વ ક્રિકેટમાં મોટા ભાગના પૈસા ભારતમાંથી આવે છે અને ICC તે પૈસા વાપરે છે.

આ પૈસા પાકિસ્તાનને આપવામાં આવે છે, જે આપણા ઘરેલુ ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેથી સરળ શબ્દોમાં કહીએ તો, તે ભારતીય પૈસા છે જે પાકિસ્તાનનું ક્રિકેટ ચલાવે છે. તેથી પાકિસ્તાને ભારતનો પ્રવાસ ન કરવો જોઈએ તેનું કોઈ કારણ નથી.

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે શોએબે કહ્યું કે, આ મેચમાં તમામ દબાણ ભારતીય ટીમ પર રહેશે કારણ કે પાકિસ્તાન પાસે ગુમાવવા માટે કંઈ નથી. વિરાટ કોહલી અંગે શોએબે કહ્યું કે, વિરાટે હવે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ અને સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડની બરાબરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મને લાગે છે કે વિરાટ હવે વધુ છ વર્ષ રમી શકે છે અને વર્લ્ડ કપ પછી તેણે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમવી જોઈએ.

વિરાટે ત્રણેય ફોર્મેટમાં રમવું જોઈએ

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી વિશે શોએબના નિવેદન પર કહ્યું કે વિરાટ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેણે કોઈપણ ફોર્મેટ છોડવું જોઈએ નહીં. વિરાટે ત્રણેય ફોર્મેટમાં રમવું જોઈએ. વિરાટ કોહલી જે પણ ક્રિકેટ રમવા માંગે છે, તે રમી શકે છે કારણ કે તે પ્રદર્શન કરે છે.

Please follow and like us: