હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે રાજ્યોને જાહેર કરી એડવાઈઝરી, આપી આ સલાહ

0

હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સલાહ આપી છે. એડવાઈઝરીમાં તે તમામ પરિબળો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે, જેના કારણે સાંપ્રદાયિક સૌહાર્દ બગડી શકે છે. ગુરુવારે હનુમાન જયંતિ છે. અગાઉ રામ નવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન અનેક રાજ્યોમાં હિંસા થઈ હતી. પશ્ચિમ બંગાળ અને બિહારમાં હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગૃહ મંત્રાલયે આ બંને રાજ્યો પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *