Health : જો કિડનીમાં હોય પથરીની ફરિયાદ, તો આ ફળોના સેવનથી બચો
![Health: If there is a complaint of kidney stones, then avoid consuming these fruits](https://imaginesurat.com/wp-content/uploads/2023/01/kidney-care-1024x576.jpg)
Kidney Care Tips(File Image)
જો તમને કિડનીમાં(Kidney) પથરીની ફરિયાદ હોય તો તમારે પોટેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમનું (Sodium) વધુ પડતું સેવન ટાળવું જોઈએ. જાણો આ સ્થિતિમાં તમારે કયા ફળોથી અંતર રાખવું જોઈએ.
કેળા ન ખાઓ:
કેળા કેલ્શિયમ અને પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને તેમાં પ્રાકૃતિક ખાંડ પણ વધુ હોય છે. કિડની સ્ટોન અને ડાયાબિટીસના દર્દીઓએ તેનું ઓછું સેવન કરવું જોઈએ.
એવોકાડોઃ
આ વિદેશી ખોરાકમાં સોડિયમ અને ફોસ્ફરસ જોવા મળતું નથી, પરંતુ તેને પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમને કિડનીની પથરી હોય તો પણ એવોકાડો ખાવાની ભૂલ ન કરો.
કીવી પણ ન ખાઓઃ
શું તમે જાણો છો કે કીવીનું સેવન કરવાથી કિડનીની સમસ્યા પણ વધી શકે છે. વાસ્તવમાં, તેમાં ઓક્સાલેટ હોય છે, જેનું સેવન કિડનીની પથરીની સમસ્યામાં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.
નારંગી:
આવશ્યક વિટામિન સી ઉપરાંત, શિયાળામાં ઉપલબ્ધ આ ફળ પોટેશિયમનો સ્ત્રોત પણ છે. જો તમને કિડનીમાં પથરી છે અથવા આ ફરિયાદ સાથે સંઘર્ષ કર્યો છે, તો સંતરા અથવા તેનો રસ બંનેનું થોડું-થોડું સેવન કરો.