Health : લીલા વટાણા પણ પહોંચાડી શકે છે કેટલાક લોકોના સ્વાસ્થ્યને નુકશાન
![Health: Green peas can also harm the health of some people](https://imaginesurat.com/wp-content/uploads/2023/01/peas-1024x576.jpeg)
Health: Green peas can also harm the health of some people
લીલા વટાણા(Peas) એક એવું શાક (Vegetable) છે જેનો સ્વાદ બાળકોને પણ ગમે છે. વિટામિન (Vitamins) અને એમિનો એસિડથી ભરપૂર આ ખોરાકનું સેવન કેટલાક લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. જાણો કેવી રીતે…
યુરિક એસિડ:
તે આપણા શરીરમાં એક પ્રવાહી છે, જ્યારે તેનું સ્તર વધે છે, ત્યારે સાંધામાં દુખાવો શરૂ થાય છે. લીલા વટાણામાં ભરપૂર માત્રામાં એમિનો એસિડ, વિટામિન ડી, પ્રોટીન અને ફાઈબર હોય છે જે યુરિક એસિડને વધારે છે. જેમને સાંધાનો દુખાવો હોય તેમણે લીલા વટાણા ઓછા ખાવા જોઈએ.
વજન વધે છેઃ
લીલા વટાણામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ બંને યોગ્ય માત્રામાં હોય છે. જો તમે વટાણાનું વધુ પ્રમાણમાં સેવન કરો છો, તો આ સ્થિતિમાં તમે વધતા વજનનો શિકાર બની શકો છો. સ્વાદને કારણે શરીરમાં સમસ્યા ઊભી કરવાથી બચો.
કિડનીના દર્દીઓથી દૂર રહોઃ
આ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. પબમેડમાં છપાયેલા અહેવાલ મુજબ, પ્રોટીનનું વધુ પડતું સેવન કિડનીને નબળી બનાવી શકે છે. લીલા વટાણામાં પ્રોટીન વધુ હોય છે.
પેટની સમસ્યાઃ
જો કોઈ વ્યક્તિને વારંવાર ગેસ કે એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તેણે લીલા વટાણા ઓછી માત્રામાં જ ખાવા જોઈએ. લીલા વટાણામાંથી બનાવેલ શાક રાત્રે ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પચવામાં થોડી તકલીફ પડે છે.