આપણા ધર્મમાં જ સાયન્સ-મેડિસિન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન શ્રી ગણેશ : ભુપેન્દ્ર પટેલ

CM Bhupendra Patel (File Image )
ગુજરાતના (Gujarat ) મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સભ્યતા અને સંસ્કૃતિમાં(Culture ) વિજ્ઞાન, સ્થાપત્ય, ચિકિત્સા પહેલાથી જ સામેલ છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણા ગણેશજી છે. જેનું અંગ ટ્રાન્સપ્લાન્ટ એ યુગમાં સફળતાપૂર્વક અને શ્રેષ્ઠ રીતે થયું હતું. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, આજના વિજ્ઞાન માટે ભલે આ બહુ મોટી વાત હશે, પરંતુ આ વસ્તુઓ આપણા ધર્મ અને સંસ્કૃતિમાં પહેલા દિવસથી છે. સીએમ પટેલ શનિવારે મારેન્ગો સીઆઈએમએસ હોસ્પિટલ દ્વારા સંચાલિત સ્ટેટ ઓફ ધ આર્ટ ટ્રાન્સપ્લાન્ટ યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી હતી.
અમદાવાદમાં શરૂ થયેલું આ યુનિટ ખાનગી રીતે સંચાલિત થશે. તેમણે કહ્યું કે, સૃષ્ટિના પ્રથમ દિવસથી જ આપણા ધર્મ અને સંસ્કૃતિએ સ્થાપત્ય, વિજ્ઞાન અને ચિકિત્સા વગેરેને અપનાવ્યું છે. શિવજી એ દિવસોમાં ઉત્તમ સર્જન હતા. તેણે ગણેશજીના અંગનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું. તે સમયે વિજ્ઞાન એટલું આગળ હતું કે હાથીનું માથું માણસના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હતું. સીએમ પટેલે કહ્યું કે આજે વિજ્ઞાન અને અધ્યાત્મ સમાંતર ચાલી રહ્યા છે. બલ્કે, પરિસ્થિતિ એવી હદે આવી ગઈ છે કે વિજ્ઞાન હવે પરાકાષ્ઠાએ છે, જ્યારે આધ્યાત્મિકતા સતત આગળ વધી રહી છે.