Rohit Sharma: અમે અમારી બેન્ચ સ્ટ્રેન્થ બનાવવા માંગીએ છીએ: હેડ કોચ રાહુલ દ્રવિડ માટે પણ કહી આ વાતો

0
Photo Credit: NIE
  • રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે સતત આઠ સિરીઝ જીતી છે,
  • એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા રોહિતના નેતૃત્વમાં જશે,
  • રોહિત શર્માએ ટીમના ભવિષ્યને મજબૂત કરવા વિશે કહ્યું

એશિયા કપ 2022ની ટીમની પસંદગી બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવે તે જોતાં મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ (વૈકલ્પિક ખેલાડીઓનું મોટું જૂથ) બનાવવું જરૂરી છે. આ સિવાય તેણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વિશે પણ કહ્યું કે, તે અને કોચ બંનેની વિચારસરણી સમાન છે અને તેઓ સાથે મળીને ટીમને આગળ લઈ જવા માંગે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ભારત પોતાની ટીમના ખેલાડીઓ પર સતત પ્રયોગ કરી રહ્યું છે. જેમાં ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટની પણ ભૂમિકા રહી છે. એક ટીવી પ્રોગ્રામમાં વાત કરતા રોહિતે કહ્યું કે, “અમે ઘણું ક્રિકેટ રમીએ છીએ, તેથી ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. આ રીતે આપણે ખેલાડીઓને ‘રોટેટ’ કરવાના છે. જો કે આ (રોટેટ કરીને) અમારી બેન્ચ સ્ટ્રેન્થને મેદાન પરથી ઉતરવાની અને રમવાની તક આપે છે. તેથી જ અમે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા ખેલાડીઓને અજમાવી શકીએ છીએ.”

ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, “અમે અમારી બેન્ચ સ્ટ્રેન્થ બનાવવા માંગીએ છીએ, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં હોય. તે જ યોજના છે જે અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” રોહિત ઓસ્ટ્રેલિયામાં રમાનારી T20 વર્લ્ડ કપ પહેલા આ મહિને શરૂ થતા એશિયા કપમાં ટીમનું નેતૃત્વ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેણે કહ્યું કે એક ટીમ તરીકે, તેનો હેતુ દરરોજ વધુ સારો થવાનો છે. “મને ખબર નથી કે આગળ શું અપેક્ષા રાખવી જોઈએ પરંતુ તે એક ટીમ તરીકે દરરોજ વધુ સારું થવા વિશે છે.

રોહિતે કોચ રાહુલ દ્રવિડ વિશે શું કહ્યું?
બીજી તરફ જ્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જ્યારે તે (દ્રવિડ) ટીમનો કોચ બન્યો ત્યારે અમે સાથે બેઠા હતા અને ટીમને આગળ લઈ જવાની યોજના પર ચર્ચા કરી હતી. તેની (દ્રવિડ) વિચારસરણી મારા જેવી જ છે અને તેના કારણે મારું કામ સરળ બન્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકોને આશા છે કે આગામી એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રોહિતના નેતૃત્વમાં કંઈક ખાસ કરી શકે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *