અમદાવાદ એરપોર્ટની ફ્લાઈટમાં બૉમ્બ હોવાની વાતથી મચી ભાગદોડ

Despite having only one international flight, the number of international passengers at Surat airport increased by 84 percent
ગુજરાતના(Gujarat) અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે જ્યારે ઓફિસ (Office) સ્ટાફને ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાની માહિતી મળતાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં જ અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ જે રનવે પર ઉપડવાની હતી તેને તે જ રનવે પર આગળ વધતા અટકાવી દેવામાં આવી હતી. મામલાની માહિતી મળતા જ પોલીસ પણ એરપોર્ટ પર પહોંચી અને તપાસ શરૂ કરી. જોકે પોલીસની તપાસમાં આ વાત અફવા હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન બોમ્બ અંગે માહિતી આપવા માટે એરપોર્ટના રેકોર્ડમાં જેનું નામ નોંધાયેલું હતું તે વ્યક્તિ પણ એરપોર્ટ પર પહોંચી ગયો હતો.
આ પછી જાણવા મળ્યું કે ફોન બીજા કોઈએ ઉપાડ્યો હતો અને તે ફેક કોલ હતો. પોલીસ હવે ફોન કરનારની શોધમાં છે. પોલીસે જણાવ્યું કે જ્યારે એરલાઈન્સના અધિકારીઓએ એક મુસાફરને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે તે ફ્લાઈટમાં નહીં ચઢે કારણ કે તેમાં બોમ્બ હતો. આ સમાચાર મળતાની સાથે જ પોલીસે પ્લેનની શોધખોળ કરી તો બધું સામાન્ય જણાયું. અધિકારીઓએ ફોન કોલ કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી.
‘મારે મરવું નથી…આ ફ્લાઈટમાં બોમ્બ છે’
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટનો આ કિસ્સો છે. વાસ્તવમાં મંગળવારે સાંજે 5.20 કલાકે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે તૈયાર હતી. આ ફ્લાઈટમાં જતો એક પેસેન્જર ત્યાં સુધી એરપોર્ટ પર પહોંચ્યો ન હતો. આ પછી એરપોર્ટ અધિકારીઓએ તે વ્યક્તિની ટિકિટના રેકોર્ડમાં આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો. એરપોર્ટ સ્ટાફે ફોન કરનારને તેની ફ્લાઇટ વિશે યાદ કરાવ્યું. જેના પર ફોન ઉપાડનાર વ્યક્તિએ કહ્યું, હું કેમ આવું? મારે મરવું નથી. તમારી ફ્લાઇટમાં બોમ્બ છે. જ્યારે એરપોર્ટ સ્ટાફે કોલ કરનારને તેનું નામ પૂછ્યું તો તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ પછી એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો અને ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી.