Surat:આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે કર્યો આપઘાત,૩ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના પુણા વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. રત્નકલાકારે આપઘાત કરતા ૩ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણમાં હતા જેને લઈને તેઓએ આ પગલું ભરી લીધું હતું
સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટી પાસે રહેતા ૩૧ વર્ષીય વિપુલભાઈ ભોજાભાઈ જિજાળા રત્નકલાકાર તરીકે કામ કરી પત્ની અને ત્રણ બાળકોનું ભરણ પોષણ કરતા હતા. ૧૬ જાન્યુઆરીના રોજ તેઓએ પોતાના ઘર નીચે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેઓને સારવાર અર્થે તેમનો ભાઈ હોસ્પિટલ લઇ આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેમનું સ્મીમેર હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
વિપુલભાઈના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. વિપુલભાઈને સંતાનમાં ૩ બાળકો હતા તેઓએ આ પગલું ભરી લેતા ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. વધુમાં તેમના આપઘાત પાછળ આર્થિક સંકળામણ હોવાનું કારણ જાણવા મળી રહ્યું છે.વિપુલ છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવતા હતા. આર્થિક ભેંસના કારણે વિપુલ જીંજાળાએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિપુલના નાનાભાઈ પરેશ જીંજાળાએ જણાવ્યું હતું કે મારા ભાઈ છેલ્લા 17 વર્ષથી હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા.છેલ્લા ઘણા સમયથી તે આર્થિક સંકળામણ અનુભવતા હતા.હીરા કંપનીમાંથી મળતો પગાર પૂરતો પડતો ન હતો.પગાર ની આવક કરતા મોંઘવારીમાં ઘરની જરૂરિયાત મુજબના ખર્ચા ખૂબ જ વધી જતા હતા.ઘરનું શાકભાજી, કરિયાણું ઉપરાંત ત્રણ બાળકોને પાછળ થતો ખર્ચને તે પહોંચી વળતા ન હતા.જેને લઇ તેમણે આ પગલું ભર્યું છે.આપઘાત પહેલા છેલ્લે તેમને મારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે તું મારી પત્ની અને છોકરાને સાચવજે.આવું બોલવા પાછળ કારણ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારે પણ તેમણે એવું જ કહ્યું હતું કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી.મારાથી નથી પહોંચી વળાતું. ધંધામાં મારી પાસે કઈ છે જ નહી