Surat:ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરણિતા પર નણદોઈએ ગુજાર્યો બળાત્કાર 

0

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં નણદોઈ સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા અગાઉ નણદોઈની મિત્ર હતી જેથી બંને વચ્ચે ફોટાઓની આપ-લે થતી હતી. આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી નણંદોઈએ પરિણીતાના પરિવારજનોની ગેરહાજરીમાં ઘરે આવી જબરજસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બીજીવાર નણંદોઈએ બીજી વાર પરિણીતાને હોટલમાં આવવા દબાણ કર્યું હતું પરંતુ પરિણીતાએ ના પાડતા નણંદોઈએ તેણીના ફોટાઓ પતિ, સાસુ અને નણંદને મોકલી તેણીને બદનામ કરી હતી. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નણદોઈની અટકાયત કરી છે.

બનાવની વિગત એવી છે કે લાલગેટ વિસ્તારમાં રહેતી પરિણીતા અને તેના નણદોઈ મોહમદ ફારૂક મોહમદ હનીફ પઠાણ (રહે. ફલેટ નં. ૫૦૧,પાંચમાં માળ,સનોબર પેલેસ,વાણીયાશેરી,બેગમપુરા)સાથે અગાઉ મિત્રતા હતી. જેના કારણે બંને વચ્ચે ફોટાઓની આપ લે થતી હતી. ગઇ તા-26/11/2022 ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યે પરિણીતાના સાસુ તથા નણંદ બજારમા લગ્નની ખરીદી કરવા ગયા હતા. આ સમયે પરિણીતા ઘરમા એકલી હતી. તે વખતે સાંજના ચારેક વાગે ફારૂક હનીફ પઠાણ પરિણીતાના ઘરે આવ્યો હતો અને તેણીની સાથે મીઠી મીઠી વાતો કરી શરીર સબંધ બાંધવાનુ કહ્યું હતું.પરંતુ પરિણીતાએ ના પાડીદીધી હતી. જેથી ફારૂકે તેના મોબાઇલમા રાખેલ સ્ક્રીનશોટ પરિણીતાને બતાવી જણાવ્યું હતું કે જો તુ મારી વાત નહીં માને તો આ ફોટા સોશિયલ મીડીયામાં તેમજ સગા સબંધી અને તારા પતિને પણ મોકલી આપીશ. તેવી ધમકી આપતા પરિણીતા ગભરાઇ ગઈ હતી અને પરિણીતાએ તેને સ્ક્રીનશોટ ડીલીટ કરવા વિનંતી કરતા ફારૂકે પરિણીતા સાથે શર્ત મૂકી હતી કે તુ શરીર સબંધ બાંધશે તો હુ આ ફોટા ડીલીટ કરી નાંખીશ. ત્યારબાદ પરિણીતાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો અને ઘરેથી પોણા પાચેક વાગે જતો રહ્યો હતો. પરિણીતા સાસુ તથા નણંદ સાંજના પરત ઘરે આવતા પરિણીતાએ બદનામથવાના બીકે તેમજ ઘર ન તુટે તે માટે તેઓએ ઘરમાં કોઇને જાણકરી ન હતી. બાદમાંતા.26/11/2022 ના રોજ પરિણીતાના નણંદના લગ્ન ફારૂક હનીફ પઠાણ સાથે થતા નણંદ તેઓના ઘરે ચાલી ગયેલ અને લગ્નના આઠ નવ દિવસ બાદ ફારૂક હનીફ પઠાણએ પરિણીતા ફોન કરી તે મારી સાથે બહાર ચાલ આપણે હોટલમા રૂમ ભોગ બનનાર રાખીને રહીશુ ત્યારે પરિણીતાએ તેને ના પાડતા પરિણીતાને તારા ફોટા વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. જોકે પરિણીતા તાબે ન થતા તા-06/12/2022 ના રોજ પરિણીતાના ફોટા નણંદ,સાસુ અને પતિને બતાવી દીધા હતા. જેથી પરિણીતાના પતિએ પરિણીતાને તેના માતા-પિતાના ઘરે કાઢી મૂકી હતી. જેથી આખરેગતરોજ પરિણીતાએ લાલગેટ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે નરાધમને પકડી કોરોના ટેસ્ટ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *