70 મુસાફરો સાથેની બસ સાપુતારા ઘાટના ખાડામાં પડી, ચારેબાજુ ચીસાચીસ, બે બાળકોના મોત
આ બસ સાપુતારા-માલેગામ નેશનલ હાઈવે ઘાટ રૂટ પર પ્રવાસીઓને લઈને સાપુતારા આવી હતી. ત્યાર બાદ જ્યારે બસ પાછી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
ડાયમંડ સિટી સુરતમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. સાપુતારામાં એક લક્ઝરી બસ ખીણમાં પડી છે. તે 70 પ્રવાસીઓ સાથે સુરતથી સાપુતારા વેલી જઈ રહી હતી. આ અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગેની માહિતી મળતાં જ સાપુતારા પોલીસ અને 108 તબીબી સેવાની ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરી દીધું છે. અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ બસ રવિવારે સાપુતારા-માલેગામ નેશનલ હાઈવે ઘાટ રૂટ પર પ્રવાસીઓને લઈને સાપુતારા આવી હતી. ત્યાર બાદ જ્યારે બસ પાછી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. બસ ઓવરટેક કરી રહી હતી ત્યારે વચ્ચે એક ટેમ્પો આવ્યો હતો. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે સુરક્ષા દિવાલ તોડીને ખાઈમાં પડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાની કામગીરી ચાલી રહી છે.
સુરતના એક મુસાફરે કહ્યું, “જ્યારે અમે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બસના ડ્રાઈવરે એક ટ્રકને ઓવરટેક કર્યો. આ દાવપેચ દરમિયાન બસ અચાનક જ રોડ પરથી ખીણમાં ખાબકી હતી. અમે 18 એક સાથે મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ બસમાં કુલ 65 લોકો સવાર હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે બસ પલટી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયર રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં ખીણમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
જેસીબી અને ક્રેનની મદદથી લક્ઝરી બસને ખીણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. સુરતના મૃતક બાળકોની ઓળખ આતિફા અરફાક શેખ (7) અને અસ્ફાખ શેખ (3) તરીકે થઈ છે.